Psalms 34

1હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ;
મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.

2હું યહોવાહની સ્તુતિ કરીશ;

દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
3મારી સાથે યહોવાહની સ્તુતિ કરો;
આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.

4મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો

અને મારા સર્વ ભયમાંથી મને વિજય અપાવ્યો.
5જેઓ તેમની તરફ જુએ છે, તેઓ પ્રકાશ પામશે
અને તેઓનાં મુખ કદી ઝંખવાણા પડશે નહિ.
6આ લાચાર માણસે પોકાર કર્યો અને યહોવાહે તે સાંભળીને
તેને તેના સર્વ સંકટમાંથી બચાવ્યો.

7યહોવાહના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે

અને તે તેમને સંકટમાંથી છોડાવે છે.
8અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે;
જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.
9યહોવાહના પસંદ કરાયેલા લોકો, તેમનો ભય રાખો;
તેમનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી.

10સિંહનાં બચ્ચાંને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે;

પણ જેઓ યહોવાહને શોધે છે તેઓને કોઈપણ સારા વાનાની ખોટ પડશે નહિ.
11આવો, મારાં બાળકો, મારું સાંભળો;
હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.

12કયો માણસ લાંબી જિંદગી ઇચ્છે છે?

અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે?
13તો દુષ્ટ બોલવાથી તારી જીભને
અને જૂઠું બોલવાથી તારા હોઠોને અટકાવ.
14દુષ્ટતાથી દૂર રહે અને ભલું કર;
શાંતિ શોધ અને તેની પાછળ લાગ.

15યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે

અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.
16જેઓ દુષ્ટતા કરે છે તેઓનું સ્મરણ પૃથ્વી ઉપરથી નાબૂદ કરવાને માટે
યહોવાહનું મુખ તેઓની વિરુદ્ધ છે.
17ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે
અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.

18જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે

અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.
19ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.
20તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે;
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.

21દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે;

જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.
યહોવાહ પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
તેઓના પર ભરોસો રાખનારાઓમાંથી એકપણ દોષિત ઠરશે નહિ.
22

Copyright information for GujULB